સવંત ૧૮૩૭…..ચૈત્ર સુદ -નોમ ને સોમવાર……અર્થાત ઈસવીસન ૧૭૮૧ ની ૨ જી એપ્રિલ….રાત્રીના ૧૦ વાગ્યા ને ૧૦ મીનીટ…..! ગામ છપૈયા….અયોધ્યા નજીક…..અને ધર્મદેવ -ભક્તિમાતા ના ભવને..એક મહા તેજસ્વી બાળક નો જન્મ થયો કે – જે મનુષ્ય માત્ર- જીવમાત્ર ના કલ્યાણ નો દ્યોતક ..એક સ્ત્રોત બનવાનો હતો….! ઘનશ્યામ સ્વરૂપે જન્મેલા એ બાળકે- ભગવાન સ્વામિનારાયણ તરીકે પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું- ત્યાં સુધી ની ઘટના – ઇતિહાસ નો એક સોનેરી અધ્યાય છે…….સાત વર્ષ ની ઉમરે ગૃહત્યાગ અને માત્ર ૧૯ વર્ષ ની ઉમરે ઉદ્ધવ સંપ્રદાય ની ગાદી સંભાળવા ની ઘટના- એ પુરુષોત્તમ પણા ની એક નિશાની માત્ર હતી…..! પછી શરુ થયું- સમૈયા…ઉત્સવો…..ની એક પરંપરા…..સિધ્દ પુરુષો…જ્ઞાનીઓ….યોદ્ધાઓ….રાજાઓ…રંકો….અબાલ-વૃદ્ધ..સ્ત્રી-પુરુષ….એમાં જોડાતા ગયા…..સહજ જોડાતા ગયા….અને જીવન – સંસ્કાર-સંસ્કૃતિ-ભક્તિ-નિયમ નું એક ઉત્સવ બની ગયું…..! નશા-લુંટ કે મારધાડ માં વ્યસ્ત રહેતા કાઠી દરબારો- એકદમ-અચાનક જ રાતોરાત- ભક્તિ-નિયમ-ધર્મ ને લીધે અહિંસક-સંમાંર્ગી બની ગયા…! આ બધું શું છે????? અને આ બધી વાર્તાઓ નથી…..ઇતિહાસ કારો ની કલમે- શબ્દે શબ્દ વર્ણવેલો છે….!
પ.પૂ. અક્ષર બ્રહ્મ ગોપાળાનંદ સ્વામી એ – સહજાનંદ સ્વામી શા માટે પુરુષોત્તમ છે?….એ માટે નીચેના લક્ષણો વર્ણવ્યા……! પ.પૂ. અચિત્યાનંદ વરણી કે જે સદાયે શ્રીજી ની સેવા માં રહેતા, તેમણે” શ્રીહરિ લીલા કલ્પતરુ” નામનો પ્રસિધ્દ ગ્રંથ રચ્યો-એમાં નડિયાદ ખાતે- વિદ્વાનો ની સભામાં – સહજાનંદ સ્વામી ના સર્વાંઅવતારીપણા ના તેર લક્ષણો – ગોપાળાનંદ સ્વામી દ્વારા દર્શાવાયા – એ પ્રસંગ વર્ણવેલો છે……તો જુઓ એ તેર લક્ષણો -ગુજરાતીમાં..
- પૃથ્વી પર અવતરેલા સર્વ અવતારો ને – એક અવતારમાં ( પોતાના દિવ્ય સ્વરૂપમાં) લીન થતાં કે પ્રાદુર્ભાવ થતાં -અનેક મનુષ્યો ને બતાવવા…
- શાસ્ત્રો માં વર્ણવેલા -ધામ અને ધામ પતિઓ- એમનું ઐશ્વર્ય- પોતાના એક સ્વરૂપમાં – સર્વ જનો ને બતાવવું…
- દ્રષ્ટી માત્ર થી સાધારણ મનુષ્ય ને પણ- યોગીઓ ને દુર્લભ એવી સમાધી- નાડી પ્રાણ ખેંચી ને કરાવવી…..
- પોતાના સંત કે સત્સંગી દ્વારા પણ- અન્ય મનુષ્યો ને આવી સમાધી કે મોક્ષ કરાવવો…..
- પોતાના ધામ રહેલું પોતાનું મૂળ સ્વરૂપ- પૃથ્વી પર પણ એ જ સ્વરૂપમાં ભક્તો ને બતાવવું……
- શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ-ધર્મ-વેદાંત-ભક્તિ વગેરે – સામાન્ય મનુષ્ય ને સમજાય એમ સહજ બનાવે…..અને નવા શાસ્ત્રો- નવા ધર્મ-નિયમો રચે અને તેનું પાલન કરાવે…..
- લોહચુમ્બક નો પર્વત જેમ લોઢા ને આકર્ષે- તેમ સર્વ જીવ ને પોતાના દર્શન માત્ર થી જ આકર્ષે……
- પોતાના ભક્તો ના મોક્ષ માટે- એમના અંત સમયે જીવ ને “તેડવા” પધારે…….
- તેમના વચન માત્ર થી નિમ્ન કોટીના મનુષ્ય પણ- જ્ઞાન-ભક્તિ-ધર્મ-નિયમ-વૈરાગ્ય માં પણ દ્રઢ સિદ્ધતા પ્રાપ્ત કરે…..
- કેવળ પોતાનો સંબંધ પામેલી- વસ્તુઓ -જડ પદાર્થો થી પણ- સામાન્ય મનુષ્ય ને સમાધી કરાવવી- મોક્ષ ને પાત્ર બનાવવા….
- પોતાની લીલા-ચરિત્ર-વાર્તા દ્વારા પણ દેશાંતર ના અજાણ્યા લોકો ને આકર્ષિત કરવા- દિવ્ય ભાવ બતાવવો…
- જીવ,ઈશ્વર,માયા,બ્રહ્મ,પર બ્રહ્મ- આ પાંચ અનાદી તત્વો નું ભેદ-જ્ઞાન – નું સહજ નિરૂપણ કરે…..અને એ જ જ્ઞાન પોતાના ભક્તો દ્વારા સર્વત્ર પ્રસરાવે-
- શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ અવતારોને પોતાના એક અવતાર માં લીન કરે પણ પોતે કોઈ અવતાર માં લીન ન થાય……એ તેરમું લક્ષણ….
No comments:
Post a Comment