આ મનુષ્ય નો અવતાર..કહેવાય છે કે લખચોરાસી ના ફેરા પછી ,હરિ દયા એ આવતો હોય છે....છતાં, આપણે આ સત્ય ભૂલી જઈએ છીએ અને બસ પોતાના રોગ-ભોગ,સુખ-દુઃખ માં જ રચ્યા પચ્યા રહીએ છીએ..! પણ જીવનમાં ક્યારેક તો એક પળ એવી આવે છે ત્યારે આપણ ને આપણી ઔકાત સમજાય છે..સમજાય છે કે - આપણે તો નિમિત્ત માત્ર છીએ...અને સર્વ ના કર્તા-હર્તા એક શ્રીજી મહારાજ જ છે.સર્વે જીવ નું અંતિમ ધ્યેય એ જ છે.આ સત્ય તમે આજે સ્વીકારો તો યે..કાલે સ્વીકારો તોયે...પણ એને સ્વીકાર્યે જ છુટકો!! એ સિવાય આ ભવ ના ફેરા..બંધન માં થી નહી છુટાય..!
Search This Blog
Friday, November 18, 2011
એક વાત- શ્રીહરિ ની…….
Saturday, September 24, 2011
શ્રીજી મહારાજ- સ્વરૂપ નિરૂપણ
R
Thursday, August 18, 2011
દેહ ની રામાયણ…
- ભોગ અને સંતૃપ્તિ
- રક્ષણ અને અસ્તિત્વ
- કર્મ અને પ્રદર્શન
- બાળક નો જન્મ થયો- એટલે જેવો દેહ – ગર્ભાશય ની બહાર આવે- ગર્ભધારણ ના ૯ માસ- મા ના ગર્ભાશય ના સલામત વાતાવરણ મા રહેલા બાળક ને બહાર નું વાતાવરણ – એને સાનુકુળ નથી જ લાગતું…..આથી મહા કષ્ટ…વેઠી ને જન્મ થાય….
- ૧- ૧.૫ વર્ષ સુધી- રોજ નવું નવું શીખવા ની રામાયણ……( રોગ-ભય-જીજ્ઞાસા-આનંદ-સ્વાદ તો સાથે હોય છે……..)
- પછી શરુ થાય સ્કુલ મા પ્રવેશ- …..પહેલી વાર સ્કુલ મા જવાનું..દરેક બાળક માટે કઈ મજા ની વાત નથી હોતી……સ્કુલ મા જવાની આનાકાની- વિરોધ-ધમપછાડા……ચાલુ તે આખી જિંદગી ચાલુ જ રહે માત્ર નામ બદલાયા કરે…….
- અભ્યાસ પુરો- એટલે નોકરી ની માયાજાળ- પોતાની ” જાત” ને ગોઠવવા ની……ધન.ધાન-સંપત્તિ- નાર- પ્રતિષ્ઠા — માટે નો જંગ શરુ થઇ જાય…..કેટલાક ની ગાડી – આમાં સડસડાટ ચાલે તો કેટલાક ની અટકી અટકી ને- પણ ગાડી તો ચલાવવી જ પડે…….છુટકો જ નહી……
- અને પછી લગ્ન- ઘર-પત્ની-છોકરાં- અને ફરી એજ ઘટમાળ……..! ચાલુ ને ચાલુ જ…….!
Thursday, July 21, 2011
મુવી-Ghanshyam and the storm of evil
Tuesday, July 19, 2011
વચન
જીવન શું છે?…..કોઈ ફિલસૂફે સાચું જ કહ્યું છે કે ” જીવન એટલે સંજોગો નો સરવાળો”…..તમે ડગલે અને પગલે આ હકીકત અનુભવતા હશો જ. મનુષ્ય માત્ર કે સજીવ માત્ર, સંજોગો ના આધારે જીવે છે અને આ સંજોગો….હમેંશા અનિશ્ચિત હોય છે. આપણે વિચારીએ કંઇક ને થાય કંઇક…..!તો કરવું શું?…..અનિશ્ચિતતા થી ઘેરાયેલા સંજોગો ના એક પાતળા તંતુ ને આધારે જીવન ને પસાર કરી દેવું કે….બધું એક હરિ પર છોડી- સ્થિતપ્રજ્ઞતા થી જીવન હોંશે હોંશે ગુજારી દેવું????
પણ…..પણ…..સ્થિતપ્રજ્ઞ બનવું….સુખ-દુઃખમાં સમભાવ રાખવો એ આપણા માટે શક્ય છે?….નથી….કારણ કે આપણે – મન-હૃદય ધરાવીએ છીએ….લાગણીઓ થી બંધાયેલા છીએ….! ક્યારેક એમ લાગે કે દુનિયા આપણા માટે નથી…..તો ક્યારેક એવું લાગે કે સમગ્ર દુનિયા જાણે કે મારા માટે જ સર્જાઈ છે….! મન ની આ સ્થિતિ છે. હું મારો પોતાનો અનુભવ કહું તો- પહેલા હું માનતો હતો કે આપણે ધારીએ એમ જ થાય….પણ ક્રમશઃ લાગ્યું કે , આપણે એક પામર જીવ થી વિશેષ કઈ નથી. આપણા હાથમાં કશું જ નથી…….જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા…અને પછી તો મે કંટાળી ને જ “ડ્રાઈવર” ની સીટ છોડી દીધી..અને હરિને કહ્યું કે – હવે તો તું જ્યાં લઇ જાય ત્યાં આપણે જવું….! પોતાનું કરી જોયું…પણ કઈ કામ ન લાગ્યું…..અને આજે હવે લાગે છે કે મે ડ્રાઈવર ની સીટ છોડવા નો જે નિર્ણય લીધેલો એ સાચો હતો…..! હવે આજે જો સીધા ગાડીમાં થી રસ્તા પર આવી જવાય તો દુઃખ જરૂર થાય પણ એટલું બધું નહી…..! તો કહેવા નું શુ……….કે…..
શ્રીહરિના વચન પર વિશ્વાસ….! મને સ્વામિનારાયણ સંપ્રદાય નો જો કોઈ એક પ્રસંગ વિશેષ ગમતો હોય તો એ છે…..સહજાનંદ સ્વામી દ્વારા પૂ. રામાનંદ સ્વામી પાસે – સંપ્રદાય ની ધુરા સંભાળતી વખતે માંગવામાં આવેલા વચન………!
ઈસવીસન ૧૮૦૧ માં , જેતપુર ખાતે માત્ર ૨૦-૨૧ વર્ષના અત્યંત તેજસ્વી એવા સહજાનંદ સ્વામીને -સમગ્ર સંપ્રદાય સોંપ્યો….એ વખતે, ઋણાનુભાવે શ્રીહરિએ પોતાના ગુરુ પાસે બે વચન માંગ્યા….કે જે લાખો કરોડો મુમુક્ષો ની જિંદગી નો ઉદ્ધાર કરવા ના હતા……..
- જો કોઈ તમારા સત્સંગીને એક વીંછીના ડંખ નું દુઃખ થવાનું હોય તો..એના બદલે એ દુઃખ અમને રુંવાડે રુંવાડે લાખો ડંખ નું દુઃખ થાજો પણ , એ ભક્ત ને ન થાય…..
- જો તમારા સત્સંગી ના નસીબમાં રામપાતર લખેલું હોય તો એ રામ પાતર અમને આવે પણ તમારો એ સત્સંગી- અન્ન-વસ્ત્રે કરી ને ક્યારેય દુઃખી ન થાય….
……..શું કહું??? આ વચન વાંચી ને મારું હૃદય ભરાઈ આવે છે…..પોતાના ભક્તો ના હિત-સુખ ખાતર પોતે દુઃખ ભોગવે- એ ભગવાન કેવો???? પોતે પોતાના ભક્ત ના દુઃખ માંગી લીધા……! તમે આજે પણ જુઓ….કોઈ સ્વામિનારાયણ સત્સંગી કે જે સંપ્રદાય ના બધા નિયમ-ધર્મ નું પાલન કરે છે- એ ક્યારેય દુઃખી થતો નથી…..! તો , આ એક હરીવચન ને આધારે આપણે આજે સુખમાં છીએ…..! સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે….” જે ભક્તો મારા માટે ઘસાય છે….કષ્ટ વેઠે છે..એમના યોગ-ક્ષેમ નું વહન હું કરું છું….” !!! …..ભુજ ની લીલાઓ કે ૧૮૦૫-૧૦ ની શ્રીહરિ ની લીલાઓ તમે વાંચો તો ખબર પડે કે – સ્વામિનારાયણ ભગવાન એમના ભક્તો ના કલ્યાણ માટે ક્યાં ક્યાં – ઉઘાડા પગે….બળબળતા રણમાં…ભૂખ્યા તરસ્યા ફર્યા છે???? ..
તો જીવનમાં સુખ દુઃખ તો રહેવાના જ……કૃષ્ણ ભગવાન નો પોતાનો જન્મ જ કારાગૃહ માં થયો હતો…અને આખી જિંદગી એમને રઝળપાટ કરી હતી….! સ્વામિનારાયણ ભગવાન..કે…….શ્રીરામ …તમે કોઈ પણ ના ચરિત્ર જુઓ….દુઃખ તો એમણે ભોગવ્યા જ છે….! તો આપણે , એક સામાન્ય મનુષ્ય થઇ ને દુઃખમાં કેમ તૂટી જઈ એ છીએ…..??? ……કારણ કે આપણ ને હરિના વચન પર વિશ્વાસ નથી…..કે નથી પોતાના પર વિશ્વાસ…( વાંચો ગીતાનો કર્મયોગ)..!
બસ ..યાદ રાખો…….
- સુખ દુઃખ એ અટલ છે….અનિવાર્ય છે…..આવવા ના જ છે…….તો ભાગો નહી…લડો…હરીવચન પર વિશ્વાસ રાખો….
- સામાન્ય માણસ ને બે કારણે દુઃખ આવે….૧) સંચિત કર્મો ને કારણે- કે પૂર્વ-જન્મ ના કર્મો ને લીધે… ૨) આ જન્મ ના કર્મો ને લીધે..
- અને હરિભકત ને ત્રણ કારણે દુઃખ આવે..કારણ કે હરિ ને એના પર વિશેષ પ્રેમ છે….૧) સંચિત કર્મો…૨) આ જન્મ ના કર્મો ..નિયમ ધર્મ નું ઉલ્લંઘન..૩) શ્રીહરિ ની કસોટી…..— અને જે આ કસોટીમાં સ્થિર રહી જાય..હરીવચન પર વિશ્વાસ ન ડગે….તેને જ અક્ષરધામ મળે છે…..હરિચરણમાં સ્થાન મળે છે અને સુખ-દુખના ભવ-ફેરા બંધ થાય છે…..
- ક્યારેક સુખ કરતાં- દુઃખ સારું….કારણ કે….૧) દુઃખમાં પોતાની અડગતા -શક્તિ ખબર પડે..૨) પોતાનું કોણ..પારકું કોણ એ ખબર પડે…૩) હરિ ભક્તિમાં વધારે ભાવ આવે……
- ” હરિ ને ભજતા હજુ કોઈ ની લાજ ..જતા નથી જાણી રે……” યાદ છે ને…નરસૈયા ના બોલ અને એનું જીવન…!
તો બસ…..જીવન આ જ છે……એક હરિના વચન પર વિશ્વાસ…..એનો રાજીપો….તમને સ્થિતપ્રજ્ઞ બનાવી શકે છે…….તો એના પર વિશ્વાસ…હૃદય થી મૂકી તો જુઓ…..પછી તમે જુઓ…તમે કેવા હળવા ફૂલ થઇ જાઓ છો..! ચિંતા કરવા વાળો આપણો “ધણી” ..અમર “ધણી” બેઠો છે…..!
સાથે રહેજો
જય સ્વામિનારાયણ….
રાજ
ભાઈ !!! આપણી શું તાકાત????
નીચેનો ફોટો જુઓ પછી બોલો……મગનભાઈ મોટા કે છગન ભાઈ?….અમેરિકા વધુ તાકાત વાળું કે ચીન?…….
આ કાળા માથાના માનવી ની શું વિસાત?….વરસો પહેલા ડિસ્કવરી ચેનલ પર જોયેલું….એક પરિવાર ને ઝઘડતો બતાવવા માં આવતો….પછી કેમેરો ઉપર ઉઠે….આખું ઘર બતાવવામાં આવે….કેમેરો ઉંચો જાય…આખું ફળિયું દેખાય…પછી..આખું ગામ….શહેર…..રાજ્ય..દેશ( સરહદ તો દેખાતી બંધ જ થઇ જાય…)….ખંડ….દુનિયા…..પછી પૃથ્વી…..પછી સૂર્યમંડળ..( પૃથ્વી….હા પૃથ્વી….દેખાતી બંધ થઇ જાય…..)….પછી બ્રહ્માંડ …( સૂર્યમંડળ ..ગુમ થઇ જાય….)……..!
કહેવાનું શું?…….સમજો…આપણે કેટલા પામર જીવ છીએ….! આપણી ઈજ્જત શું?…..છતાં પણ આપણે ” અહં” છોડી શકતા નથી……હું જ સર્વસ્વ…..હું જ સર્વશક્તિ માન……એમ વિચારી ને આ સમગ્ર બ્રહ્માંડ – અનેક બ્રહ્માંડ ના અધિપતિ ને પણ ઠેબે ચડાવીએ છીએ……! નાસ્તિકો બોલે છે….કે ભગવાન જેવું કઈ નથી……..પણ ભાઈ..આ બ્રહ્માંડ નું રહસ્ય તો ઉકેલી જુઓ?…..અરે એ તો છોડો…..મનુષ્ય જેવા પામર જીવ નું રહસ્ય તો ઉકેલી જુઓ?…
જુઓ નીચે નો ફોટો……
સૌજન્ય- નાસા
જય સ્વામિનારાયણ….
રાજ