Search This Blog

Friday, November 18, 2011

એક વાત- શ્રીહરિ ની…….



જેના શબ્દે અમૃત છલકાયા......
શ્રીહરિ ના મુખે બોલાયેલા અમૃત મય શબ્દો ને પ.પૂ. સંતો એ ઝીલી લીધા અને કલમ- અક્ષર થી એમને , જીવમાત્ર ના અનંત કલ્યાણ માટે ” અક્ષર મૂર્ત” કર્યાં…….આજે સવારે હું વચનામૃત જોઈ રહ્યો હતો અને મારી નજર હમેંશ ની જેમ – વચનામૃત ના પ્રથમ પાના પર પડી……શ્રીજી ની સહજ વાણી અને આ મૂર્તિમંત શબ્દો જ – જીવ ને બ્રહ્મજ્ઞાન આપવા પૂરતા છે…….વાંચો ઉપર ના શબ્દો………..!
જેમ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે…..સંતો કહે છે……શાસ્ત્રો કહે છે એમ…..શ્રીહરિ નો મહિમા જાણ્યા સિવાય- જીવ ને શ્રીજી નું સામીપ્ય મળતું નથી…..મહિમા વગર ની ભક્તિ પણ મોળી પડે છે…….સત્સંગ પણ મોળો પડે છે…..આથી જીવ ની અખંડ વૃતિ – એક માત્ર હરિ મા જોડાય એ માટે – શ્રીહરિ નું માહાત્મ્ય જાણવું અત્યંત જરૂરી છે…..અનિવાર્ય છે……..અને એક વાર , એ સમજાય એટલે બાકી બધું એક પલકાર માત્ર થઇ જાય છે…..
બાકી દુનિયાનું-બ્રહ્માંડ નું સૌથી મોટું સત્ય તો એ છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ……એક શ્રીહરિ ની મરજી વિના આપણે એક સુકું પર્ણ પણ ખસેડવા સમર્થ નથી……આ સત્ય આજે સમજો તો યે……કાલે સમજો તો યે…..અને અનંત જન્મે સમજો તો યે…….સમજ્યે જ છુટકો છે………! બાકી- ” શકટ નો ભાર તો અસંખ્ય શ્વાન તાણે જ છે……”
જય સ્વામિનારાયણ
રાજ

Saturday, September 24, 2011

શ્રીજી મહારાજ- સ્વરૂપ નિરૂપણ


હું ઘણીવાર- વચનામૃત કે સંતો દ્વારા લખાયેલ – શ્રીહરિ લીલામૃત કે ચરિત્ર નું પઠન કરું ત્યારે- સવાલ થાય છે કે – જેના માત્ર એક દર્શન થી લોકો ને સમાધી થઇ જાતી …એ દર્શન…સ્વરૂપ  કેવું હશે??? એક ચાખડી ના ચટકે કે..હાથ ના એક લટકે અનેક મુમુક્ષો ને સમાધી થઇ જાતી હતી. પૂ. પ્રેમાનંદ સ્વામી જેવા અતિ વિદ્વાન સંતે – એમની કૃતિઓ ..ભજનો..પદો મા શ્રીજી ની નાની નાની વાતો નું આબેહુબ વર્ણન કર્યું છે. કવીશ્વર દલપત રામ – શ્રીજી નો એક લટકો કે જે- એમણે આઠ વર્ષ ની ઉમરે સાંભળ્યો હતો- એ એમની જિંદગી ભર ભૂલ્યા ન હતા…….હરિભક્તો દ્વારા રોજ બોલાતી ચેષ્ઠા મા – મહારાજ ના આ સ્વરૂપ નું….લીલાઓ નું સુપેરે વર્ણન કર્યું છે.  વચનામૃત ની શરૂઆત મા શ્રીજી ની જીવન લીલા નું જે વર્ણન થયું છે – એમાં પણ એમના સ્વરૂપ ની..ક્રિયાઓ નું..ટેવો નું અદભૂત વર્ણન થયું છે. કદાચ – સ્વામિનારાયણ સંપ્રદાય ના મહાન સંતો એ – જે રીતે શ્રીજી મહારાજ ની આ લાક્ષણિકતા ઓ કે સ્વરૂપ નું જે રીતે માઈક્રો લેવલે વર્ણન કર્યું છે- એવું તો કોઈનું વર્ણન હજુ સુધી નહી થયું હોય. શરીર પર ના તલ, નિશાન  કે ચિહ્નો ..દંતપંક્તિ કે ચાલવા-ઊઠવા-બેસવા ની રીતો…….તમે કલ્પના ન કરી શકો એ રીતે એનું ખુબ જ ઝીણવટ ભર્યું વર્ણન થયું છે. જુઓ એના અમુક અંશ…..
 એવા જે સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિ ના જે ચિહન તે પ્રથમ લખી એ છીએ…શ્રીજી મહારાજ ના બે ચરણવિંદ ના તળામા ઉર્ધ્વ રેખા છે , તે કેવી છે? તો અંગુઠા ની પાસે ની જે આંગળીઓ તેની બેય કોરે નીકળી છે ને પાની ને બેય કોરે નીકળી છે, અને જમણા પગ ના અંગુઠા ના થડ મા ઉર્ધ્વરેખા ની બેય કોરે કમળ ,અંકુશ,ધ્વજ,અષ્ટકોણ,વજ્ર,સ્વસ્તિક,જમ્બુફળ એમના ચિહન છે…અને જમણા પગ ના અંગુઠા ના નખમાં એક ઉભી રાતી રેખા  નું ચિહન છે…….અને એ જ અંગુઠા ને બહેરાલે પડખે એક તિલ છે ……..
ઓરીજીનલ- સ્વામીનારાયણ મ્યુઝીયમ , અમદાવાદ જોઈ શકાય છે.
  ….અને બે નેત્ર ને જે હેથલી ને ઉપલી પાંપણયો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે..અને નાસિકા ઉપર શીળી ના ચાઠાંના ઝીણા ઝીણા ચિહન છે . અને મુખમાં જમણી કોરે હેઠ લી જે પ્રથમ દાઢય તેમાં શ્યામ ચિહન છે અને જીહવા તે કમળ ના પત્ર સરખી રક્ત છે અને ડાબા કાન ને માંહેલી કોરે શ્યામ બિંદુ નું ચિહન છે….અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલક ને આકારે ઉભી બે રેખાઓ છે…. 
” શ્રીજી મહારાજ ને નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રી રહે તારે ઉઠીને દાતણ કરવાનો સ્વભાવ છે.અને તે પછી સ્નાન કરી ને , ને ધોયેલું જે કોરું વસ્ત્ર તેણે કરી ને શરીર ને લુંઈને પછી ઉભા થઇ ને પહેરવા ના વસ્ત્ર ને બે સાથળ વચ્ચે ભેળું કરી ને તેણે બે હાથે કરી ને નીચોવી ને પછી સાથળ ને, ને પગ ને લુઈ ને પછી ધોયેલું સુક્ષ્મ શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણી ને પહેરે છે………..
તો, વચનામૃત અને પ્રેમાનંદ સ્વામી ના અસંખ્ય પદો મા – મહારાજ વિષે બધું જ વર્ણન છે. જેમ તમે એને ઊંડાણ પૂર્વક વાંચતા જાઓ તેમ તેમ તમારી મનો- દ્રષ્ટી સમક્ષ મહારાજ ની મનોહર શ્યામળી મૂર્તિ છવાતી જાય છે…….! મહારાજ ના સ્વરૂપ ના તો જેટલા ગુણ લખવા હોય એટલા લખાય એમ છે પણ હું જયારે જયારે કાલુપુર મંદિર જાઉં ત્યારે- ત્યાં રંગમાહોલ કે સંત નિવાસ પાસે ના શ્રીજી ના નિવાસ સ્થાન ના દર્શને અચૂક જાઉં છું. ત્યાં આગળ ઘનશ્યામ મહારાજ ની જે મૂર્તિ છે- તે કદાચ અદ્દલોઅદ્દલ્ મહારાજ ના સ્વરૂપ ને વિષે સામ્યતા ધરાવે છે.
ઘનશ્યામ મહારાજ- કાલુપુર મંદિર
તમે ધ્યાન થી જુઓ તો ખબર પડે. શ્રીજી મહારાજ ની – પૂ. આધારાનંદ સ્વામી અને નારાયણ જી સુથારે બનાવેલી મૂર્તિ ચિત્ર સાથે એ મેળ ખાય છે.
શ્રીજી મહારાજ
સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ મંદિર ના સ્ટોલ મા મે શ્રીજી મહારાજ નો ફોટો જોયેલો. કહેવાય છે કે – અંગ્રેજ અમલદારે એ ફોટો લીધો હતો અને એ સાચો ફોટો છે….પણ એ ચર્ચા નો વિષય છે કારણ કે શ્રીજી મહારાજ  ઈસવીસન  1830 મા ધામ મા ગયેલા અને કેમેરા ની શોધ  ઈસવીસન ૧૮૬૫ થી શરુ થયેલી પણ ફોટા ને જાળવવા ને ટેકનીક ૧૮૨૬ મા પેરીસ મા જોસેફ નીકેફર દ્વારા થયેલી. આથી ૧૮૩૦ મા શ્રીજી નો ફોટો લેવા ની આ વાત મા કઈ ક ખાસ દામ નથી લાગતો છતાં એમાં સત્ય ની તપાસ કરી શકાય.
શ્રીજી નો સાચો ફોટો ?????
ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ
જે હોય તે…..પણ મે એ ફોટો જોયેલો અને એ ફોટા મા પણ શ્રીજી મહારાજ( જો એ સાચો ફોટો હોય તો) અદભૂત લાગ્યા છે.  હરિ ની કોઈ પણ વાત- કે લીલા-કે સ્મૃતિ – મન ને તરબતર કરવા પૂરતી છે.  આખરે આપણા શાસ્ત્રો મા ભગવાન ને – એમની સ્મૃતિ ઓ ને વારંવાર યાદ કરવા નું- કેમ કહે છે???? કારણ કે , એના થી તમારા મન-હૃદય પર એક અમિત છાપ રચાય છે- વૃતિઓ-ઇન્દ્રિયો ભગવાન મા જોડાયેલી રહે છે અને જીવ સ્થિર થઇ મોક્ષ અથવા અક્ષરધામ ને પામે છે. આમેય , શ્રીકૃષ્ણ ભગવાને – શ્રીમદ ગીતા મા કહ્યું છે કે – મારા ભક્તો મને જે સ્વરૂપે પુજે છે અને ઈચ્છે છે તે સ્વરૂપે હું એમને પ્રાપ્ત થાઉં છું….તો બસ હરિ નું સ્વરૂપ- લક્ષણો -લીલા ચરિત્રો – મનમાં ઘૂંટી રાખો- એ તમારી નિષ્ઠા પાકી કરશે અને હરિ ની પ્રાપ્તિ સહજ કરાવશે.
બસ, આપણે તો આ જ જોઈએ છે…….તમારે શું જોઈએ છે? એ તમારે નક્કી કરવા નું છે……”આપ મૂઆં સ્વર્ગ ન જવાય….” કહેવત છે આથી- હરિ ને જેટલા જલ્દી હૃદય મા વસાવો એટલું જ સારું છે…..સહજ છે…..
સહજ આનંદ………સહજ આનંદ………….
જય સ્વામિનારાયણ….
રાજ

Thursday, August 18, 2011

દેહ ની રામાયણ…


શરીર……વપુ…….ખોળિયું……બોડી……દેહ…..! નામ અનેક છે પણ કામ મુખ્ય ત્રણ…..
  1. ભોગ અને સંતૃપ્તિ
  2. રક્ષણ અને અસ્તિત્વ
  3. કર્મ અને પ્રદર્શન
અને આ મુખ્ય ત્રણ કાર્ય નીચે તમે ચાહો- એ લક્ષણ આ ખોળિયા ને માટે મૂકી શકો છો. વ્યાખ્યાઓ અનંત છે….તો એની પરિભાષા પણ અનંત છે. તમે ” છગનભાઈ” છો…એ તમારું ખોળિયું છે કે એને ચલાવનારો તમારો ” માંહ્યલો” અર્થાત આત્મા છે…..??????..( માંહ્યલો – શબ્દ અમારા ગાંઠીયોલ કે ગોધમજી ના એક સિદ્ધ પુરુષ થઇ ગયા- શ્રીમદ જેસીંગ બાપા- એમનો તકિયા કલામ હતો. મારા મોટાબાપા ને ત્યાં એમની પધરામણીઓ અને મેળાવડા થતાં- એમાં અમે બાળકો – આને સાંભળતા રહેતા…)…..નક્કી કરવું મુશ્કેલ છે…..કારણ કે આત્મા ના સ્વધામ ગયા પછી પૂછીએ તો કહેવાય છે કે ” છગનભાઈ ધામ મા ગયા……..” ! તો જ્યાં સુધી આત્મા આ દેહ ને ચલાવે છે ત્યાં સુધી – તમે દેહ ને – આત્મા ના એકાકાર સ્વરૂપે ઓળખો છો.  અને જે મહાપુરુષો- પોતાને કેવળ ” એક આત્મા સ્વરૂપ” જ ઓળખે છે એ સ્થિતપ્રજ્ઞ થઇ – બ્રહ્મ ને પામે છે…..આ હું નહી- ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે…..અને વચનામૃતમાં – શ્રીજી કહે છે……!
તો દેહ શું છે……????  આયુર્વેદ કહે છે કે – દેહ છે , એ પંચમહાભૂતો ( જળ,વાયુ,આકાશ,અગ્નિ,પૃથ્વી) ને ત્રિદોષ( કફ,પિત્ત, વાયુ) થી બનેલું છે. એક અતીશુક્ષ્મ DNA ડીઝાઈન થી શરુ થયેલી આ રચના – એક ૬ ફૂટ ના માણસ મા બદલાઈ જાય છે – એ કઈ નાની સુની ઘટના નથી.  તમે કદાચ- આ ગર્ભધારણ થી લઇ ને જન્મ સુધી ની – ઘટના નો અભ્યાસ કરો તો યે તમે આસ્તિક થઇ જાઓ……એ ગેરંટી મારી….!!!
તો દેહ નું સ્વરૂપ- સ્પષ્ટ થયા પછી- એની બાહ્ય દુનિયા પછી – શરુ થાય છે……” દેહ ની રામાયણ…..”…દેહ ની આસક્તિ ના કારણે- એને નભાવવા ના કારણે- મનુષ્ય કે જીવ- બધું જ ( નૈતિક – અનૈતિક) કર્મો કરે છે……હવે તમે એક રૂટીન જીવન ના પ્રવાહ વિષે  વિચારો……..
  • બાળક નો જન્મ થયો- એટલે જેવો દેહ – ગર્ભાશય ની બહાર આવે- ગર્ભધારણ ના ૯ માસ- મા ના ગર્ભાશય  ના સલામત વાતાવરણ મા રહેલા બાળક ને  બહાર નું વાતાવરણ – એને સાનુકુળ નથી જ લાગતું…..આથી મહા કષ્ટ…વેઠી ને જન્મ થાય….
  • ૧- ૧.૫ વર્ષ સુધી- રોજ નવું નવું શીખવા ની રામાયણ……( રોગ-ભય-જીજ્ઞાસા-આનંદ-સ્વાદ તો સાથે હોય છે……..)
  • પછી શરુ થાય સ્કુલ મા પ્રવેશ- …..પહેલી વાર સ્કુલ મા જવાનું..દરેક બાળક માટે કઈ મજા ની વાત નથી હોતી……સ્કુલ મા જવાની આનાકાની- વિરોધ-ધમપછાડા……ચાલુ તે આખી જિંદગી ચાલુ જ રહે માત્ર નામ બદલાયા કરે…….
  • અભ્યાસ પુરો- એટલે નોકરી ની માયાજાળ- પોતાની ” જાત” ને ગોઠવવા ની……ધન.ધાન-સંપત્તિ- નાર- પ્રતિષ્ઠા — માટે નો જંગ શરુ થઇ જાય…..કેટલાક ની ગાડી – આમાં સડસડાટ ચાલે તો કેટલાક ની અટકી અટકી ને- પણ ગાડી તો ચલાવવી જ પડે…….છુટકો જ નહી……
  • અને પછી લગ્ન- ઘર-પત્ની-છોકરાં- અને ફરી એજ ઘટમાળ……..! ચાલુ ને ચાલુ જ…….!
ઘણીવાર થાય કે- બસ આ જ જિંદગી છે…….શું તેને કોઈ એક વ્યાખ્યા મા બાંધવી શક્ય છે??????  તો દેહ- પણ જિંદગી સાથે સંકળાયેલો છે- દેહ છે તો જીવન છે- આ રામાયણ છે………અને તેને અંતે- દેહ ની રામાયણ કહી શકાય….!
   હું મારી પોતાની વાત કરું તો- હું પણ અન્ય ને જેમ ” ફસાયેલો” જ છું……એ પણ પોતાની રાજીખુશી થી..! સ્થિતપ્રજ્ઞ થવાનો પ્રયત્ન- ચાલુ જ છે- હજુ સુધી ૦.૧% સુધી નથી પહોંચાયું……..હકીકત છે. અન્ય સસ્તન જીવો ની જેમ અસ્તિત્વ માટે લડતો રહ્યો છું……હજુ લડતા જ રહેશું……! સંસાર મા ઘુસ્યા છીએ તો – ખબર પડી કે – એક તદ્દન ભિન્ન વિચારો ધરાવતી વ્યક્તિ સાથે – કઈ રીતે અનુકુળ થાવું……એમાં પણ હજુ સંપૂર્ણ સફળ નથી થયા……! જવાબદારીઓ ચાલુ જ છે……..અને એ આવતી જ રહેશે……એનો કોઈ અંત નથી…..! દેહનની આસક્તિ ના કારણે ઘણા દુઃખી થાય છીએ……થવાના છીએ…..પણ શું કરીએ- દેહ દેહ નું કાર્ય કરે…..એ પણ પોતે એક પ્લાન્ટ જેવું છે- એને જે જોઈએ તે જોઈએ જ..( અલબત્ત ..દેહ એ મન નું ગુલામ છે…….એ યાદ રાખો…) અને સાથે દુઃખ આવે છે- એ – એ જોઈ શકતું નથી……દુઃખ આવે એટલે દેહ- તડપે અને એ વાત પણ અન્ય લોક મુખે સાંભળે- ” કોણે કહ્યું ‘તું કે બેટા બાવળિયે ચડજો……..”

 જયારે બીમારી આવે ત્યારે જ યાદ આવે કે- સાલું આ શરીર – આપણા કહ્યામાં નથી……અને જો શક્ય હોય તો શ્રીજી ને રૂબરૂ મળી પ્રાર્થના કરવી છે કે – હે………હરિ- જીવન ના એક-બે વર્ષ…..( હા….માત્ર એક-બે વર્ષ જ…અમદાવાદી છું ભાઈ….) બીમારી ના જ સમજી એને કાપી નાખો- અને કમ સે કમ ૯૮-૯૯ વર્ષ વગર બીમારી ના – કોઈ દેહ-વ્યાધી વગર ના આપો……” !!
જો કે આ વિચાર નર્યો સ્વાર્થી છે-  દેખાય છે….!!!!………ઇતિહાસ સાક્ષી છે કે – દુનિયામાં કોઈ મનુષ્ય-જીવ કે અવતાર એવો નથી થયો કે જેને દેહ ની વ્યાધી ન આવી હોય……! સ્વયં ભગવાન ને પણ દેહ  દુઃખ આવ્યા છે……! પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ને પણ પાર વગર ની દેહ-વ્યાધિઓ છે……!  અપન જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે…..દેહ સાથ આપે છે ત્યાં સુધી- કર્મ ચાલુ જ રહેવા નું…..અને કર્મ કરતાં જ રહેશું………મન મક્કમ છે….!
” થાકી ને બેસી પડનાર  અમે નથી…..ભાઈ…..
હારી ને રડી પડનાર અમે નથી ……ભાઈ….
ભલે આ દેહ સાથ આપે ન આપે હો “રાજ”…
એમાં અટવાઈ ને ખોવાઈ જનાર અમે નથી…..ભાઈ….”
તો – ભાઈ આ તો ભાડા નું મકાન છે…..ગમે ત્યારે ખાલી કરવું પડશે……જ્યાં સુધી છે ત્યાં સુધી એને બરોબર જાળવો…..અને એનો સાચો ઉપયોગ કરો……સ્થિતપ્રજ્ઞ થઇ શકાય છે- બસ ધીરે ધીરે પોતાને નિમિત્ત અને શ્રીજી ને સર્વ-કર્તા હર્તા મની- એના પર છોડતા જાઓ- એ સુખ આપે તો યે અને દુઃખ આપે તો યે…..એની મરજી- એનું સન્માન કરો અને જીવન ને જીવી જાઓ…..!
રાજ

Thursday, July 21, 2011

મુવી-Ghanshyam and the storm of evil


આમ તો દુનિયામાં ઘણી થ્રીડી એનીમેશન મુવી બને છે પણ, પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણા થી બેપ્સ એનીમેશન( સ્વામિનારાયણ અક્ષરપીઠ  એનીમેશન ) દ્વારા – ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરિત્રો પર – એનીમેશન મુવી એ પણ થ્રીડી માં બની છે( વધુ માહિતી માટે – જાઓ…..-  ઘનશ્યામ ચરિત્ર – એ ટૂંક સમયમાં રીલીઝ થાશે. ભગવાન ની લીલા અને ચરિત્રો આપણે શ્રીકૃષ્ણ કે હનુમાન – નામે જોઈ ચુક્યા છીએ પણ આ થ્રીડી મુવી ખુબ જ અસરકારક સાબિત થાશે …..અને મુમુક્ષો ને જ્ઞાન ગમ્મત ની સાથે ભક્તિ અને હરિ નો મહિમા સુપેરે સમજાવશે એમાં કોઈ શંકા નથી……
જુઓ નીચેનું ટ્રેલર— સૌજન્ય- યુટ્યુબ …movie- Ghanshyam and the storm of evil
બસ માણતા રહો……હરિનો મહિમા એ જ છે પણ માધ્યમ- એ સમય ની સાથે છે……
જય સ્વામિનારાયણ
રાજ

Tuesday, July 19, 2011

વચન

જીવન શું છે?…..કોઈ ફિલસૂફે સાચું જ કહ્યું છે કે ” જીવન એટલે સંજોગો નો સરવાળો”…..તમે ડગલે અને પગલે આ હકીકત અનુભવતા હશો જ. મનુષ્ય માત્ર કે સજીવ માત્ર, સંજોગો ના આધારે જીવે છે અને આ સંજોગો….હમેંશા અનિશ્ચિત હોય છે. આપણે વિચારીએ કંઇક ને થાય કંઇક…..!તો કરવું શું?…..અનિશ્ચિતતા થી ઘેરાયેલા સંજોગો ના એક પાતળા તંતુ ને આધારે જીવન ને પસાર કરી દેવું કે….બધું એક હરિ પર છોડી- સ્થિતપ્રજ્ઞતા થી જીવન હોંશે હોંશે ગુજારી દેવું????

પણ…..પણ…..સ્થિતપ્રજ્ઞ બનવું….સુખ-દુઃખમાં સમભાવ રાખવો એ આપણા માટે શક્ય છે?….નથી….કારણ કે આપણે – મન-હૃદય ધરાવીએ છીએ….લાગણીઓ થી બંધાયેલા છીએ….! ક્યારેક એમ લાગે કે દુનિયા આપણા માટે નથી…..તો ક્યારેક એવું લાગે કે સમગ્ર દુનિયા જાણે કે મારા માટે જ સર્જાઈ છે….! મન ની આ સ્થિતિ છે. હું મારો પોતાનો અનુભવ કહું તો- પહેલા હું માનતો હતો કે આપણે ધારીએ એમ જ થાય….પણ ક્રમશઃ લાગ્યું કે , આપણે એક પામર જીવ થી વિશેષ કઈ નથી. આપણા હાથમાં કશું જ નથી…….જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા…અને પછી તો મે કંટાળી ને જ “ડ્રાઈવર” ની સીટ છોડી દીધી..અને હરિને કહ્યું કે – હવે તો તું જ્યાં લઇ જાય ત્યાં આપણે જવું….! પોતાનું કરી જોયું…પણ કઈ કામ ન લાગ્યું…..અને આજે હવે લાગે છે કે મે ડ્રાઈવર ની સીટ છોડવા નો જે નિર્ણય લીધેલો એ સાચો હતો…..! હવે આજે જો સીધા ગાડીમાં થી રસ્તા પર આવી જવાય તો દુઃખ જરૂર થાય પણ એટલું બધું નહી…..! તો કહેવા નું શુ……….કે…..

શ્રીહરિના વચન પર વિશ્વાસ….! મને સ્વામિનારાયણ સંપ્રદાય નો જો કોઈ એક પ્રસંગ વિશેષ ગમતો હોય તો એ છે…..સહજાનંદ સ્વામી દ્વારા પૂ. રામાનંદ સ્વામી પાસે – સંપ્રદાય ની ધુરા સંભાળતી વખતે માંગવામાં આવેલા વચન………!

મારા વ્હાલા નું વચન.....

ઈસવીસન ૧૮૦૧ માં , જેતપુર ખાતે માત્ર ૨૦-૨૧ વર્ષના અત્યંત તેજસ્વી એવા સહજાનંદ સ્વામીને -સમગ્ર સંપ્રદાય સોંપ્યો….એ વખતે, ઋણાનુભાવે શ્રીહરિએ પોતાના ગુરુ પાસે બે વચન માંગ્યા….કે જે લાખો કરોડો મુમુક્ષો ની જિંદગી નો ઉદ્ધાર કરવા ના હતા……..

  1. જો કોઈ તમારા સત્સંગીને એક વીંછીના ડંખ નું દુઃખ થવાનું હોય તો..એના બદલે એ દુઃખ અમને રુંવાડે રુંવાડે લાખો ડંખ નું દુઃખ થાજો પણ , એ ભક્ત ને ન થાય…..
  2. જો તમારા સત્સંગી ના નસીબમાં રામપાતર લખેલું હોય તો એ રામ પાતર અમને આવે પણ તમારો એ સત્સંગી- અન્ન-વસ્ત્રે કરી ને ક્યારેય દુઃખી ન થાય….

……..શું કહું??? આ વચન વાંચી ને મારું હૃદય ભરાઈ આવે છે…..પોતાના ભક્તો ના હિત-સુખ ખાતર પોતે દુઃખ ભોગવે- એ ભગવાન કેવો???? પોતે પોતાના ભક્ત ના દુઃખ માંગી લીધા……! તમે આજે પણ જુઓ….કોઈ સ્વામિનારાયણ સત્સંગી કે જે સંપ્રદાય ના બધા નિયમ-ધર્મ નું પાલન કરે છે- એ ક્યારેય દુઃખી થતો નથી…..! તો , આ એક હરીવચન ને આધારે આપણે આજે સુખમાં છીએ…..! સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે….” જે ભક્તો મારા માટે ઘસાય છે….કષ્ટ વેઠે છે..એમના યોગ-ક્ષેમ નું વહન હું કરું છું….” !!! …..ભુજ ની લીલાઓ કે ૧૮૦૫-૧૦ ની શ્રીહરિ ની લીલાઓ તમે વાંચો તો ખબર પડે કે – સ્વામિનારાયણ ભગવાન એમના ભક્તો ના કલ્યાણ માટે ક્યાં ક્યાં – ઉઘાડા પગે….બળબળતા રણમાં…ભૂખ્યા તરસ્યા ફર્યા છે???? ..

તો જીવનમાં સુખ દુઃખ તો રહેવાના જ……કૃષ્ણ ભગવાન નો પોતાનો જન્મ જ કારાગૃહ માં થયો હતો…અને આખી જિંદગી એમને રઝળપાટ કરી હતી….! સ્વામિનારાયણ ભગવાન..કે…….શ્રીરામ …તમે કોઈ પણ ના ચરિત્ર જુઓ….દુઃખ તો એમણે ભોગવ્યા જ છે….! તો આપણે , એક સામાન્ય મનુષ્ય થઇ ને દુઃખમાં કેમ તૂટી જઈ એ છીએ…..??? ……કારણ કે આપણ ને હરિના વચન પર વિશ્વાસ નથી…..કે નથી પોતાના પર વિશ્વાસ…( વાંચો ગીતાનો કર્મયોગ)..!

બસ ..યાદ રાખો…….

  • સુખ દુઃખ એ અટલ છે….અનિવાર્ય છે…..આવવા ના જ છે…….તો ભાગો નહી…લડો…હરીવચન પર વિશ્વાસ રાખો….
  • સામાન્ય માણસ ને બે કારણે દુઃખ આવે….૧) સંચિત કર્મો ને કારણે- કે પૂર્વ-જન્મ ના કર્મો ને લીધે… ૨) આ જન્મ ના કર્મો ને લીધે..
  • અને હરિભકત ને ત્રણ કારણે દુઃખ આવે..કારણ કે હરિ ને એના પર વિશેષ પ્રેમ છે….૧) સંચિત કર્મો…૨) આ જન્મ ના કર્મો ..નિયમ ધર્મ નું ઉલ્લંઘન..૩) શ્રીહરિ ની કસોટી…..— અને જે આ કસોટીમાં સ્થિર રહી જાય..હરીવચન પર વિશ્વાસ ન ડગે….તેને જ અક્ષરધામ મળે છે…..હરિચરણમાં સ્થાન મળે છે અને સુખ-દુખના ભવ-ફેરા બંધ થાય છે…..
  • ક્યારેક સુખ કરતાં- દુઃખ સારું….કારણ કે….૧) દુઃખમાં પોતાની અડગતા -શક્તિ ખબર પડે..૨) પોતાનું કોણ..પારકું કોણ એ ખબર પડે…૩) હરિ ભક્તિમાં વધારે ભાવ આવે……
  • ” હરિ ને ભજતા હજુ કોઈ ની લાજ ..જતા નથી જાણી રે……” યાદ છે ને…નરસૈયા ના બોલ અને એનું જીવન…!

તો બસ…..જીવન આ જ છે……એક હરિના વચન પર વિશ્વાસ…..એનો રાજીપો….તમને સ્થિતપ્રજ્ઞ બનાવી શકે છે…….તો એના પર વિશ્વાસ…હૃદય થી મૂકી તો જુઓ…..પછી તમે જુઓ…તમે કેવા હળવા ફૂલ થઇ જાઓ છો..! ચિંતા કરવા વાળો આપણો “ધણી” ..અમર “ધણી” બેઠો છે…..!

સાથે રહેજો

જય સ્વામિનારાયણ….

રાજ

ભાઈ !!! આપણી શું તાકાત????

નીચેનો ફોટો જુઓ પછી બોલો……મગનભાઈ મોટા કે છગન ભાઈ?….અમેરિકા વધુ તાકાત વાળું કે ચીન?…….
આ કાળા માથાના માનવી ની શું વિસાત?….વરસો પહેલા ડિસ્કવરી ચેનલ પર જોયેલું….એક પરિવાર ને ઝઘડતો બતાવવા માં આવતો….પછી કેમેરો ઉપર ઉઠે….આખું ઘર બતાવવામાં આવે….કેમેરો ઉંચો જાય…આખું ફળિયું દેખાય…પછી..આખું ગામ….શહેર…..રાજ્ય..દેશ( સરહદ તો દેખાતી બંધ જ થઇ જાય…)….ખંડ….દુનિયા…..પછી પૃથ્વી…..પછી સૂર્યમંડળ..( પૃથ્વી….હા પૃથ્વી….દેખાતી બંધ થઇ જાય…..)….પછી બ્રહ્માંડ …( સૂર્યમંડળ ..ગુમ થઇ જાય….)……..!

કહેવાનું શું?…….સમજો…આપણે કેટલા પામર જીવ છીએ….! આપણી ઈજ્જત શું?…..છતાં પણ આપણે ” અહં” છોડી શકતા નથી……હું જ સર્વસ્વ…..હું જ સર્વશક્તિ માન……એમ વિચારી ને આ સમગ્ર બ્રહ્માંડ – અનેક બ્રહ્માંડ ના અધિપતિ ને પણ ઠેબે ચડાવીએ છીએ……! નાસ્તિકો બોલે છે….કે ભગવાન જેવું કઈ નથી……..પણ ભાઈ..આ બ્રહ્માંડ નું રહસ્ય તો ઉકેલી જુઓ?…..અરે એ તો છોડો…..મનુષ્ય જેવા પામર જીવ નું રહસ્ય તો ઉકેલી જુઓ?…

જુઓ નીચે નો ફોટો……

સૌજન્ય- નાસા

આપણી શું વિસાત????

જય સ્વામિનારાયણ….

રાજ