Search This Blog

Showing posts with label BAPS. Show all posts
Showing posts with label BAPS. Show all posts

Monday, April 25, 2016

BAPS રવિસભા-૧૭/૦૪/૨૦૧૬

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરોએ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે……… અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં……….
તે આશરામાં ત્રણ ભેદ છે.
૧) એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને
૨)  બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને
૩) ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય……….. તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય…….. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં……… ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં………….. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં…………”
————————————
વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૩
ભગવાન ને  રાજી  કરવાના  અનેક સાધનો હશે પણ શ્રેષ્ઠ સાધન તો  ભગવાનમાં  દ્રઢ વિશ્વાસ….દ્રઢ નિષ્ઠા….દ્રઢ  આશરો જ છે…જો  એ  હશે તો બીજા સાધનો ન્યૂન હશે તો પણ ચાલશે……!!! તો આજની એકાદશી ની રવિસભા -આ દ્રઢ આશરા ના પ્રતિપાદન…મહિમા ના ગાન માટે હતી…..! આપણ ને તો સત્પુરુષ મહા સમર્થ મળ્યા છે…આશરો દ્રઢ નહિ હોય તો એ હેતે-પ્રીતે-રીતે કરાવી ને પણ કસર ટાળશે……એટલે આપણે તો એ  સત્પુરુષ ને બસ રાજી જ કરવાના છે…..
સભામાં ગોઠવાયા પહેલા મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવા માં આવ્યા……
12985400_1693874294233736_1188693400595693070_n
અને સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવક મિત્રો દ્વારા “સ્વામિનારાયણ નામ મારા વ્હાલા..” ધુન્ય ચાલી રહી હતી….ધુન્ય પૂરી થઇ એટલે કીર્તન ” સુખસાગર હરિવર સંગે…” અને  ” સર્વે માન તજી શામળિયા ..” મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન નો લાભ મળ્યો…….
પુ.વિવેકશીલ સ્વામી એ  “પ્રમુખ સ્વામી મહારાજ ની પરાભક્તિ” પર અનેક રસપ્રદ પ્રસંગો દ્વારા મનોનીય પ્રવચન કર્યું….જોઈએ એનો સારાંશ….
  • જેમ શ્રીજી મહારાજે પોતાના ગુરુ રામાનંદ સ્વામી ને પત્ર માં  લખ્યું હતું કે -મીઠા વગર ની રસોઈ નકામી હોય છે તેમ મનુષ્ય ના જીવનમાં જો ભક્તિ ન હોય..ભગવાન ન હોય તો એ જીવન ક્ષુલ્લક કહેવાય……..
  • પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ને માઈક્રોસ્કોપ થી જુઓ તો સમજાય કે- એમના જીવન ની પ્રત્યેક ક્રિયા…ક્ષણ માં  એક શ્રીજી ને  જ આગળ રાખ્યા છે…….કોઈ સન્માન ની વાત હોય…કોઈ નવી વસ્તુ પ્રસાદી ની કરવાની હોય…..અરે હાર સ્વીકારવા નો હોય…તો પણ શ્રીજી જ સદાયે આગળ જ હોય..!
  • આત્મનિવેદી ભક્તિ નું જીવંત અને સર્વોચ્ચ સ્વરૂપ હોય તો એ છે –  પ્રમુખ સ્વામી મહારાજ……….એમના હરિકૃષ્ણ મહારાજ ને થાક લાગ્યો છે…આરામ ની જરૂર છે……ભૂખ લાગી છે……એનો વિચાર સદાયે એમના અંતર માં રહ્યો છે……….!
અદ્ભુત…..અદ્ભુત…………! આવી ભક્તિ તો ભગવાન ના અખંડ ધારક સંત જ કરી શકે……….! ત્યારબાદ સ્વામીશ્રી  ના સારંગપુર ખાતે ના વિચરણ- ૯-૧૦ એપ્રિલ ,૨૦૧૬ ના દર્શન  વિડીયો ના માધ્યમ થી થયા……જે નીચેની લીંક થી તમે પણ કરી શકો છો…..

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા ” ગઢડા પ્રથમ-૩૩” વચનામૃત પર રસપ્રદ પ્રવચન થયું……જોઈએ એના અમુક અંશ….
  • વચનામૃત ગઢડા પ્રથમ-૩૩ માં શ્રીજી એ કહ્યું છે તેમ……શ્રીજી નો દ્રઢ આશરો જ  શ્રીજી ને રાજી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે..સાધન છે….પણ આપણા જીવ ની વૃત્તિઓ સ્થિર નથી…આથી આ -માર્ગ આપણા માટે મુશ્કેલ છે…..
  • Revival….Reform..Contribution ..એ શ્રીજી એ આપેલા અદ્ભુત આશીર્વાદ આપણા પર છે…….Revival એટલે કે  સદગુણો નું પુનર્જીવન…સમાજ ને જીવંત કર્યો………Reform …જીવમાત્ર..સમાજમાત્ર  નું પરિવર્તન…. ..Contribution…સમાજ માં  ઉચ્ચ નૈતિકતા નું સંપાદન….ગુણાતીત સંત દ્વારા કલ્યાણ નો માર્ગ ચાલુ રાખવાનું યોગદાન…….એમના અનેક જીવન પ્રસંગ દ્વારા જાણવા મળે છે…..
  • ગુણાતીત સંત દ્વારા સદાયે પ્રગટ રહેવાનું……એમના દ્વારા કલ્યાણ નો માર્ગ ચાલુ રાખવાનું યોગદાન આજે પણ સ્પષ્ટ દેખાય છે…………
  • અંગ્રેજી માં એક શબ્દ છે…..entropy….સમયકાળ ની સાથે એનર્જી લેવલ માં થતો ઘટાડો- જો અધ્યાત્મિક ભાષા માં જોવામાં આવે તો – શારીરિક…માનસિક બળ માં -સંજોગ-કાળ-વય સાથે થતા ઘટાડા સાથે સરખાવી શકાય……પણ જો એમાં  આદ્યાત્મિક બળ અર્થાત Spiritual energy મજબુત હોય તો શારીરિક અને માનસિક બળ માં થતો ઘટાડો…..અસરકારક નથી રહેતો…….! સદ્ગુરુ સ્વરૂપાનંદ સ્વામી જયારે બીમાર પડ્યા ત્યારે શ્રીજી એ એમના ખબર અંતર પૂછ્યા તો- સ્વામી બોલી ઉઠ્યા…..” ટટ્ટુ ( અર્થાત દેહ)  બીમાર હૈ…અસવાર ( અર્થાત જીવ)  તાજા હૈ…” માટે અંતર નું બળ મજબુત કરો…..
  • જો આશરો દ્રઢ હોય તો મન નિશ્ચિંત રહે…….સ્થિર રહે………..નિર્ભય રહે….
  • પ.પુ.મહંત સ્વામી તો કહે છે કે- જો નિયમ ધર્મ દ્રઢ રહે તો આશરો દ્રઢ થાય…….નિષ્ઠા દ્રઢ થાય…..
  • શ્રીજી નો આશરો દ્રઢ રહે તે પુરતો નથી…..પણ સાથે સાથે શ્રીજી કહે છે એમ……અધ્યાત્મ માં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ પાછા વળી ને અંતર ને તપાસતા રહેવું……..ચકાસતા રહેવું……….કે આપણો આશરો કેટલો દ્રઢ થયો છે……
  • અને જો સત્સંગ માં નિષ્ઠા કે આશરો દ્રઢ ન હોય…..એનો મહિમા દ્રઢ ન હોય……તો જીવ સહેજ કપરો કાળ આવે…..વિપરીત સંજોગ આવે…સહેજ અપમાન થાય તો સત્સંગ ચૂંથાઈ જાય……..માટે સત્સંગમાં પ્રગતિ નો માર્ગ- એ દ્રઢ આશરો જ છે………
  • સત્સંગમાં ખમતા શીખવું……..એ આશરો દ્રઢ બનાવે છે………….
  • શ્રીજી ના સમય માં પણ વજીબા જેવા પરમ ભક્ત હતા તો આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ ના સમય માં અનેક ભક્તરાજ આવો જ અનન્ય દ્રઢ આશરો ધરાવે છે….પતિવ્રતા ની ભક્તિ ધરાવે છે……..પોતાનું સર્વસ્વ – સ્વામી ના એક ઈશારે અર્પણ કરવા તૈયાર રહે છે………
અદ્ભુત……અદ્ભુત…………..!!! આવો દ્રઢ આશરો આપણ ને છે????? જો આવી દ્રઢ નિષ્ઠા થાય તો જીવ સ્થિતપ્રજ્ઞ થઇ જાય……..અને એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા સમજે..માને….અને સુખ-દુખ માં સ્થિર રહી શકે………..
સભાને અંતે- અક્ષરધામ વાસી થયેલા ભક્તરાજ માટે સ્વામિનારાયણ ધુન્ય થઇ………….
આપણો તો એક જ નિર્ધાર…………..આપણે તો સત્પુરુષ ના સંગે- શ્રીજી ના સ્વરૂપ ની દ્રઢ નિષ્ઠા કરવી છે……એક એમના જ આશરા ને દ્રઢ કરવો છે…….શ્રીજી રાજી થાય એવા શરણાગત બનવું છે………….!!!
જય સ્વામીનારાયણ…..
રાજ

Monday, December 23, 2013

BAPS રવિસભા-૨૨/૧૨/૨૦૧૩

( Main blog- rajmistry2.wordpress.com)

 ”….એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો હું પ્રશ્ર્ન પુછું છું જે……. “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?”
પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ…….. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્‍વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્‍વરૂપ વિના બીજી મનમાં કાંઇ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે, તેને ભગવાનનો નિશ્વય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે………. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઇ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઇ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્‍યવાન હોય અને જો તે વૈરાગ્‍યને યોગે અહંકારે યુક્ત વર્તે તો, એ પણ એને વિષે મોટી ખોટ છે, અથવા અત્‍યંત આત્‍મજ્ઞાનનું બળ હોય, અથવા ભગવાનને વિષે દૃઢ ભકિતનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ, તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે…….”
————ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ-૫૬——-
તો ઉપરોક્ત વચનામૃત નો સાર એ છે કે- ભક્ત થાવું તો જ્ઞાની જ થાવું…..કારણ કે જ્ઞાન ને બળે જ- સતપુરુષ થકી- ભગવાન ના સ્વરૂપ નો મહિમા સાચી રીતે સમજાય છે અને દ્રઢ નિષ્ઠા થાય છે………આ બ્રહ્મ સત્ય એ જ આ સભાનો મુખ્ય સાર હતો.  કહેવા નું એટલું કે- રવિસભા એ જ્ઞાન નો…. સત્સંગ નો અદભૂત ખજાનો છે…..અઠવાડિયા ના સંસારિક કાર્યો ની દોડધામ મા અટવાયેલા-થાકેલા આ જીવ ને રીચાર્જ કરવા માટે- રવિસભા થી મોટું શસ્ત્ર કોઈ નથી……!
તો આજે સભામાં સમયસર પહોંચી ગયો- અને સર્વ પ્રથમ ધનુર્માસ ના- આ અદભૂત દર્શન…..મારા વ્હાલા ના…..તમે પણ દર્શન કરો……
આજ ના દર્શન....
આજ ના દર્શન….
સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- યુવકો દ્વારા ધૂન્ય થઇ રહી હતી……સ્વામિનારાયણ ધૂન – એ આ જીવ ને પોષણ-શક્તિ-હિંમત આપતું એક અનન્ય બળ છે……જીવન મા કોઈ પણ વિપરીત સ્થિતિ આવે- વિકટ પરિસ્થિતિ આવે કે- સંકટ આવે- અ મહામંત્ર નો ઉચ્ચ સ્વરે જાપ કરવો- બળ જરૂર રહેશે…..એની પાકી ગેરંટી..! ત્યારબાદ એક યુવક દ્વારા કીર્તન રજુ થયું…..”અનુભવી આનંદ મા બ્રહ્મરસ ના ભોગી રે…..”…..અદભૂત હતું….બ્રહ્મરસ ના ભોગી ની આ જ નિશાની છે…..સહજ-આનંદ હમેંશા…! બીજું એક કીર્તન અદભૂત હતું…..બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન ના શબ્દ હતા……”ઝલકે છે સુંદર ભાલ જાઉં બિહારી રે ,કેસર નું તિલક સોહામણું  ગિરધારી..રે……”….અને જાણે કે શ્રીજી ની એ મુરત નજર સામે છવાઈ ગઈ…….!
ત્યારબાદ એક અદભૂત ગાથા રજુ થઇ……લંડન બેપ્સ યુવક મંડળ ના ૧૦ જેટલા યુવકો એ એક પોતાની એક તપ યાત્રા નું સચિત્ર-ભાવભીનું વર્ણન કર્યું. એમનાં પ્રતિનિધિ પ.ભ. રાકેશભાઈ કારા એ -લગભગ કલાક ચાલેલી આ અદભૂત ગાથા વર્ણવતા કહ્યું કે- ૧૦ સપ્ટેમ્બર ના રોજ લંડન થી યુવક મંડળ- નેપાળ પહોંચ્યું…..હેતુ સ્પષ્ટ હતો- કે ૨૦૦ વર્ષ પહેલા નિલકંઠ વરણી એ કરેલી ગંડકી નદી-થી માનસરોવર ની યાત્રા -નો અનુભવ કરવો- અને સાથે સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના સ્વાસ્થ્ય માટે -આ તપ યાત્રા કરવી…..! આવા સર્વોપરી હેતુ સાથે શરુ થયેલી યાત્રા અને એમનાં અનુભવો- સાંભળી ને થયું કે શૂન્ય નીચે ૧૫-૨૦ ડીગ્રી તાપમાન મા- કેટકેટલા ભીડા પડે છે- છતાં આ યુવાનો એ પણ વિદેશ ની ધરતી પર જન્મેલા-ઉછરેલા- ભગવાન ને -ગુરુ ને રાજી કરવા નીકળ્યા છે….! લાલ ગંડકી નદી, મુક્તિનાથ, કૈલાસ માનસરોવર ની આ વિષમ યાત્રા અને અત્યંત ઠંડી અને પાતળી હવા વચ્ચે પણ- ભગવાન ને સ્નાન, પૂજા,આરતી,સ્તોત્ર દ્વારા રાજી કરવા ના નિયમો ફોટો-વિડીયો દ્વારા રજુ થયા………ભગવાન સ્વામિનારાયણ એ અત્યંત ખુલ્લા શરીરે- શૂન્ય ની નીચે ૪૦ ડીગ્રી મા લગભગ ૬ દિવસ- કૈલાસ માનસરોવર મા ગાળ્યા હતા………એ વિચારી ને જ હૃદય ઉછાળી ઉઠે છે…..! એમને શું સ્વાર્થ હતો…..??? આવી વિષમ સ્થિતિ મા ખુલ્લા શરીરે-ભૂખ્યા તને તપ કરવા નું તાત્પર્ય શું??? જીવમાત્ર નું કલ્યાણ……બીજું શું…! સમજો- તો જાણો-અને અનુભવો કે ભગવાન પોતાના ભક્તો માટે- જીવ માત્ર ના કલ્યાણ માટે- કેવ કેવા ઉદાહરણો પોતે કષ્ટ વેઠી ને પ્રત્યક્ષ કરે છે……! શત્ શત્ વંદન આ યુવાનો ને કે જે સર્વોપરી હેતુ લઈને- આટ આટલા ભીડા વેઠી ને આ કઠિનતમ યાત્રા પૂરી કરી અને ગુરુહરિ ને- હરિ ને રાજી કર્યા…….! આપણે આ માર્ગ મા કેટલે છીએ?

ત્યારબાદ- પૂ.ઈશ્વરચરણ સ્વામી એ ગઢડા પ્રથમ ના ૫૬ મા વચનામૃત નું સુંદર નિરૂપણ- ઉપરોક્ત યુવાનો ને આશીર્વાદ અને અભિનંદન આપતા કર્યું……..જોઈએ એનો સારાંશ,…..
  • સત્સંગ મા -ભગવાન ને જ્ઞાની ભક્તો પ્રત્યે વિશેષ ભાવ રહે છે- કારણ કે- એ ભક્તો જ ભગવાન ના સ્વરૂપ ને યથાર્થ સમજે છે- જાણે છે……અને ભગવાન ને પામે છે.
  • ભગવાન વિના જીવે કશું ન ઇચ્છવું……એક ભગવાન મા જ જીવ રાખવો…..તો જ કલ્યાણ થાય
  • સત્સંગ ની શરૂઆત- માન મુકવા થી જ થાય- જો માન મુકાય- અને દાસાનુદાસ નો ગુણ આવે તો જ સત્સંગ મા પ્રવેશ થાય- ટકાય……નહીતર પતન થાય……
  • યોગીજી મહારાજ ને તો યુવકો પ્રત્યે એટલો પ્રેમ કે- એક મા ની જેમ એમની સેવા કરતાં……વીનું ભગત( પૂ.મહંત સ્વામી નું પાર્ષદ તરીકે નું નામ) ની બીમારી વખતે- યોગીબાપા – સભા છોડી ને એમની સેવા મા લાગ્યા હતા…….એ પ્રસંગ અદભૂત હતો….
  • સત્પુરુષ ના વિષે જેટલી દ્રઢ પ્રીતિ એટલો જ જીવ આત્મદર્શન ને પામે છે…..અંતે માન ઘટે છે અને સત્સંગ નું સાચું સુખ આવે છે……
  • એક ભગવાન ને જો કર્તાહર્તા મનાય તો- જ જીવ આત્મ સત્તા રૂપે વર્તી શકે…..અને અંતર મા ટાઢક રહે…..શાશ્વત સુખ રહે……
સત્ય વચન…..બ્રહ્મ વચન…..!
સભાને અંતે જાહેરાતો થઇ…….
  • પૂ.બ્રહ્મદર્શન સ્વામી જેવા તેજસ્વી -વિદ્વાન સંત ના મુખે “સ્વામિનારાયણીય સાધના” પર ઓડીઓ સીડી બહાર પડી છે…….ચોક્કસ લેવી….મન ના બધા સંશયો દુર થઇ જ્ઞાની ભક્ત થવાશે…….
  • તા-૧૦ ડીસેમ્બર થી ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૪ સુધી- શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ- શાહીબાગ મા રાહત ભાવે ” ઘૂંટણ બદલવા ની ટ્રીટમેન્ટ” નો કેમ્પ થવાનો છે……નિદાન મફત છે- સર્જરી રાહત ભાવે થાશે…….આ માટે ડૉ. આનલ રાવલીયા – હોસ્પિટલ ખાતે નો કોન્ટેક્ટ કરવો……
તો- ચાલો- આ બ્રહ્મ સભા ના સાર ને બસ- અંતર મા મમળાવતા રહેજો……..યાદ રાખો- શ્રીજી ને જ્ઞાની-નિર્માની-ભક્તો જ ગમે છે…….
રાજી રહેશો……
રાજ